ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 22, 2024 7:31 પી એમ(PM) | નવી દીલ્હી

printer

નવી દીલ્હીમાં સુષ્મા સ્વરાજ ભવન ખાતે સંગઠ્ઠન સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ અંગેની રાષ્ટ્રીય પરિષદનો આજથી આરંભ થયો છે

નવી દીલ્હીમાં સુષ્મા સ્વરાજ ભવન ખાતે સંગઠ્ઠન સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ અંગેની રાષ્ટ્રીય પરિષદનો આજથી આરંભ થયો છે. આ પરિષદમાં ભોજન, પોષણ અને આરોગ્યના ક્ષેત્રે મહિલાઓની ભૂમિકા કેન્દ્રમાં રહેશે.
કેન્દ્રિય ગ્રામીણ વિકાસમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પરિષદનું ઉદઘાટન કરતાં જણાવ્યું હતું કે, આરોગ્ય અને પોષણ એ મહત્વના પરિબળો સિવાય વિકસિત ભારતની સંકલ્પના શક્ય નથી.
કેન્દ્રિય ગ્રામીણવિકાસ રાજયમંત્રી ચંદ્રશેખરે જણાવ્યું કે, સ્વસહાય જૂથ એ દેશના વિકાસની કરોડરજ્જુ સમાન છે. આ પ્રસંગે નિતી આયોગના સભ્ય ડૉ,વી.કે.પોલે પ્રાથમિક આરોગ્ય સુવિધાઓ અંગે માહીતી આપી હતી. તેમણે કહ્યું કે, નાગરિકો તંદુરસ્ત હશે તો દેશ આપમેળે વિકસિત બનશે.
અમારા સંવાદદાતા જણાવે છે કે, આ પરિષદમાં દેશભરના સ્વસહાય જૂથની મહિલા પ્રતિનિધિઓ ભાગ લઇ રહી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ