પુનઃપ્રાપ્ય ઉર્જા મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું છે કે નવીનીકરણીય ઉર્જા ક્ષમતા 203 ગીગાવોટ સુધી પહોંચી ગઈ છે.
લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન પૂરક પ્રશ્નોના જવાબ આપતા શ્રી જોશીએ જણાવ્યું હતું કે, અન્ય 115 ગીગાવોટ પુનઃપ્રાપ્ય ઊર્જા અમલીકરણના વિવિધ તબક્કામાં છે. તેમણે કહ્યું કે, 2014માં પુનઃપ્રાપ્ય ઊર્જાની ક્ષમતા લગભગ 76 ગીગાવોટ હતી. મંત્રીએ કહ્યું કે, પુનઃપ્રાપ્ય ઉર્જાનું ઉત્પાદન વધારવા માટે સરકાર દ્વારા અનેક પહેલ કરવામાં આવી છે.
Site Admin | ઓગસ્ટ 7, 2024 2:18 પી એમ(PM)
નવીનીકરણીય ઉર્જા ક્ષમતા 203 ગીગાવોટ સુધી પહોંચી ગઈ છે – પુનઃપ્રાપ્ય ઉર્જા મંત્રી પ્રહલાદ જોશી
