લોકસભામાં આજે 2025-26 માટે જળ શક્તિ મંત્રાલયના નિયંત્રણ હેઠળના અનુદાનની માંગણીઓ પર ચર્ચા શરૂ કરતા ભાજપના જગદંબિકા પાલે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી સરકારે 2025-26વર્ષ માટે જળ શક્તિ મંત્રાલયને 99 હજાર 500 કરોડ રૂપિયાથી વધુનું બજેટ પૂરું પાડ્યું છે. તેમણે જણાવ્યું કે, આ ફાળવણી ગયા અંદાજપત્રની ફાળવણી કરતા 93 ટકા વધુ છે. ચર્ચામાં ભાગ લેતા ડીએમકેના સાંસદ ટી આર બાલુએ જણાવ્યુંકે, જલ જીવન મિશન હેઠળ માત્ર 80 ટકા કાર્ય પૂર્ણ થયું છે અને માત્ર 15 કરોડ ઘરોનેઆ યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે.
Site Admin | માર્ચ 19, 2025 6:37 પી એમ(PM) | લોકસભા
નરેન્દ્ર મોદી સરકારે 2025-26 વર્ષ માટે જળ શક્તિ મંત્રાલયને 99 હજાર 500 કરોડ રૂપિયાથી વધુનું બજેટ પૂરું પાડ્યું
