અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડએ આજે જણાવ્યું છે કે, દેશભરનાં વિમાનમથકોએ લોંજ ખાતે સેવાઓ ઝડપથી પૂર્વવત બને તે માટે કંપની બેન્કો સાથે સક્રિય રીતે કામ કરી રહી છે. એરપોર્ટ લોંજમાં સેવામાં અવરોધ ઊભો થતાં કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, તે એરપોર્ટ લોંજ ખાતે તમામ મહત્વનાં ડેબિટ અને ક્રેડિટ કાર્ડ સ્વીકારી રહી છે.
ઉલ્લેખનીય છે કે અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ મુંબઇ, અમદાવાદ, લખનઉ, મેંગલુરુ, જયપુર, ગુવાહાટી અને થિરુવનંતપુરમ વિમાનમથકનું સંચાલન કરે છે.
Site Admin | સપ્ટેમ્બર 22, 2024 7:26 પી એમ(PM)