દિલ્હી વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે હવે ફક્ત 4 દિવસ બાકી છે, ત્યારે શહેરમાં રોડ શો, રેલીઓ, જાહેર સભાઓ અને ડોર ટુ ડોર પ્રચારનો માહોલ છે.
તમામ પક્ષો અને ઉમેદવારો રાષ્ટ્રીય રાજધાનીમાં મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બપોરે દ્વારકા વિસ્તારમાં જાહેર સભાને સંબોધિત કરવાના છે.
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી, હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય અને બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી સહિત અન્ય ભાજપના નેતાઓ પ્રચાર કરશે.
જ્યારે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ, વરિષ્ઠ AAP નેતા અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને પાર્ટીના સાંસદ સંજય સિંહ સહિત અન્ય પાર્ટીના નેતાઓ પણ વિવિધ મતવિસ્તારોમાં જાહેર સભાઓને સંબોધિત કરશે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી માદીપુર વિસ્તારમાં એક રેલીને સંબોધિત કરવાના છે, જ્યારે પાર્ટીના સાંસદ પ્રિયંકા ગાંધી નાંગલોઈ અને મુસ્તફાબાદમાં રોડ શો અને રેલી કરશે.
આગામી મહિનાની 5મી તારીખે મતદાન થશે અને 8મી ફેબ્રુઆરીએ મતગણતરી થશે.
Site Admin | જાન્યુઆરી 31, 2025 2:50 પી એમ(PM) | વિધાનસભા
દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી અને કેજરીવાલ આજે ચૂંટણી સભા સંબોધશે
