ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 15, 2025 3:27 પી એમ(PM)

printer

દાહોદ જિલ્લામાં લીમખેડા પાસે થયેલા ગમખ્વાર અકસ્માતમાં ચાર શ્રદ્ધાળુઓના મોત થયાં

દાહોદ જિલ્લામાં લીમખેડા પાસે થયેલા ગમખ્વાર અકસ્માતમાં ચાર શ્રદ્ધાળુઓના મોત થયાં છે. જ્યારે આઠ લોકો ઈજાગ્રસ્ત થયા છે. પ્રયાગરાજનાં મહાકુંભમાં થી પરત ફરી રહેલા ગુજરાતનાં શ્રદ્ધાળુઓની કાર લીમખેડા નજીક હાઈ-વે પર ઉભી રહેલી ટ્રક સાથે અથડાતાં આ અકસ્માત સર્જાયો હતો. તેમાં એક મહિલા સહિત ચાર જણનાં ઘટનાસ્થળે મોત નીપજ્યાં હતાં.
અકસ્માતની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. તમામ ઘાયલોને સારવાર માટે સિવિલ હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા. પોલીસનાં જણાવ્યાં મુજબ મૃત્યુ પામેલા શ્રદ્ધાળુઓ ભરૂચ જિલ્લાનાં અંકલેશ્વરનાં અને અમદાવાદનાં ધોળકાનાં હતાં.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ