તેલંગાણામાં, લોખંડના સામાનથી ભરેલી એક ટ્રકમાંથી સળિયા બે ઓટો-રિક્ષાઓ પર પડતાં પાંચ લોકોના મોત થયાં હતાં અને છ અન્ય ઇજાગ્રસ્ત થયા હતા. વારંગલ જિલ્લામાં મામુનુરુ હાઇવે નજીક લોખંડના સળિયા ભરીને જઇ રહેલી ટ્રકમાં સળિયાનો બાંધેલુ દોર઼ડુ તૂટી જતા સળિયા પાછળ આવી રહેલી બે ઓટો રિક્ષાઓ ઉપર પડયા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે ધસી ગઇ હતી. આ દરમિયાન, મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ જિલ્લા અધિકારીઓને ઘાયલોને વધુ સારી તબીબી સુવિધાઓ આપવા માટે તંત્રને આદેશ કર્યો હતો.
Site Admin | જાન્યુઆરી 26, 2025 5:27 પી એમ(PM) | Accident | Telangana | telangana accident | truck accident
તેલંગાણા: ટ્રકમાંથી સળિયા રિક્ષાઓ પર પડતાં પાંચ લોકોના મોત
