ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ જગ્યાઓ પર આરોગ્ય શિબિર યોજી ક્ષય રોગના દર્દીઓની ચકાસણી કરવામાં આવી રહી છે. તેમની આ કામગીરી જોવા કેન્દ્રીય ક્ષય વિભાગની ટુકડીએ આજે ગાંધીનગર સેક્ટર 24 આંગણવાડીની મુલાકાત લીધી હતી. દરમિયાન કેન્દ્રીય ટુકડીએ ક્ષય રોગ સામે ચાલી રહેલા 100 દિવસની ઝૂંબેશ અંતર્ગત થતી કામગીરી અંગે જરૂરી સૂચનો પણ આપ્યા હતા. આ અંગે ગાંધીનગર મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી કલ્પેશ ગોસ્વામીએ વધુ માહિતી આપી હતી.
Site Admin | ડિસેમ્બર 19, 2024 4:08 પી એમ(PM) | ગાંધીનગર
ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ જગ્યાઓ પર આરોગ્ય શિબિર યોજી ક્ષય રોગના દર્દીઓની ચકાસણી કરવામાં આવી રહી છે
