ગાંધીનગરમાં રાજ્ય સ્તરીય તકેદારી અને દેખરેખ નિયંત્રણ સમિતિની બેઠક યોજાઈ હતી.
મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં અનુસૂચિત જાતિ, જનજાતિ અને પછાત વર્ગો માટેની વિવિધ કલ્યાણકારી યોજનાઓની ચર્ચા કરવામાં આવી હતી. માનવ ગરિમા યોજના, આદિ જાતિઓના બાળકોને ઉચ્ચ અભ્યાસ માટેની ડોક્ટર આંબેડકર વિદેશ અભ્યાસ લોન તથા શહેરોમાં અભ્યાસ સાથે આવાસ સુવિધાની સમરસ હોસ્ટેલ વગેરેમાં રાજ્ય સરકારની કામગીરીની આ સમિતીના સભ્યોએ ચર્ચા કરી હતી..
Site Admin | સપ્ટેમ્બર 26, 2024 8:04 પી એમ(PM) | ગાંધીનગર
ગાંધીનગરમાં રાજ્ય સ્તરીય તકેદારી અને દેખરેખ નિયંત્રણ સમિતિની બેઠક યોજાઈ
