ગાંધીનગરમાં આજે મંત્રીમંડળની બેઠક યોજાઈ ગઈ. ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં વિધાનસભાના અંદાજપત્ર સત્રની તૈયારીઓ, સત્ર દરમિયાન રજૂ થનારા ખરડાઓ, મહાકુંભ માટે શરૂ થયેલી વૉલ્વો બસ તેમજ મુખ્યમંત્રીના પ્રવાસ અંગે ચર્ચા કરવામાં આવી.
ઉપરાંત બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લાના વિભાજન બાદ મળેલી રજૂઆતો અંગે સમીક્ષા કરવામાં આવી. આ તરફ રાજ્યના મુખ્ય સચિવ રાજ કુમારની આ છેલ્લી મંત્રીમંડળની બેઠક હતી.
Site Admin | જાન્યુઆરી 29, 2025 3:18 પી એમ(PM) | મંત્રીમંડળ
ગાંધીનગરમાં આજે મંત્રીમંડળની બેઠક યોજાઈ
