ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આજથી 17મી અર્બન મોબિલિટી ઈન્ડિયા કોન્ફરન્સનો પ્રારંભ થયો હતો. ત્રણ દિવસીય કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરતાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રપટેલે છેલ્લા 10 વર્ષમાં દેશના સામાજિક,આર્થિક વિકાસમાં શહેરીકરણની મહત્વની ભૂમિકા પર ભાર મૂક્યો હતો. આ પ્રસંગે બોલતા, શ્રી પટેલે જણાવ્યું હતું કે, કોન્ફરન્સશહેરી ગતિશીલતાના ક્ષેત્રોમાં રાજ્યોમાં અનુભવો અને વિકાસના પરસ્પર આદાનપ્રદાન માટેના પ્લેટફોર્મ તરીકે કામ કરશે અને વિવિધ શહેરી ગતિશીલતા પડકારો માટે પ્રમાણભૂત ઉકેલો અપનાવવામાં પણ મદદ કરશે. કેન્દ્ર તેમજ રાજ્ય સરકારના અધિકારીઓ અને નીતિનિર્માતાઓ સહિત 3 હજારથી વધુ પ્રતિનિધિઓ આ સંમેલનમાં ભાગ લઈ રહ્યા છે
Site Admin | ઓક્ટોબર 25, 2024 7:37 પી એમ(PM)