કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે ગઈકાલે શ્રીનગરના શેર-એ-કાશ્મીર આંતરરાષ્ટ્રીય સંમેલન કેન્દ્ર-SKICC ખાતે આયોજિત ભારતીય પ્રવાસી માર્ગદર્શક સંગઠનની 25મી વાર્ષિક રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા કરી હતી. આ પ્રસંગે બોલતા શ્રી શેખાવતે જણાવ્યું હતું કે કોવિડ-19 રોગચાળા પછી ભારતમાં સ્થાનિક પર્યટનમાં તેજી જોવા મળી છે અને પ્રવાસીઓની વધતી સંખ્યાને પહોંચી વળવા પર્યટન ઉદ્યોગોએ પોતાનો વિકાસ કરવાની જરૂર છે.
શ્રી શેખાવતે કહ્યું કે રોગચાળાના અંત પછી પ્રવાસન ક્ષેત્રે પ્રવાસીઓની સંખ્યામાં 15 ટકાથી વધુનો વધારો નોંધાયો છે. જમ્મુ અને કાશ્મીરના પ્રવાસન સચિવ યશા મુદગલે રાજ્યમાં પ્રવાસન વિશે વિગતવાર રજૂઆત કરતાં કહ્યું કે પ્રવાસન ક્ષેત્ર વાર્ષિક આશરે સત્તર હજાર કરોડ રૂપિયાની આવક મેળવે છે. આ જમ્મુ અને કાશ્મીરના કુલ ઘરેલુ ઉત્પાદન (જીડીપી)ના લગભગ આઠ ટકા છે.
Site Admin | ઓગસ્ટ 8, 2024 1:54 પી એમ(PM) | ગજેન્દ્રસિંહ શેખાવત
ગજેન્દ્રસિંહ શેખાવતે ગઈકાલે ભારતીય પ્રવાસી માર્ગદર્શક સંગઠનની 25મી વાર્ષિક રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા કરી
