કેન્દ્ર સરકાર આજે સાંજે ચંદીગઢમાં ખેડૂતો સાથે બેઠક કરશે, જેમાં પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ પર કાનૂની ગેરંટી સહિતની ખેડૂતોની લાંબા સમયથી પડતર માંગણીઓ અંગે ચર્ચા કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે, પંજાબ અને હરિયાણા વચ્ચેની શંભુ સરહદ ખાતે ખેડૂતો છેલ્લા એક વર્ષથી વિરોધ કરી રહ્યા છે. અનિશ્ચિત સમય માટે ઉપવાસ પર ઉતરેલા ખેડૂત નેતા જગજીત સિંહ દલેવાલ પણ કેન્દ્ર સરકારના ઉચ્ચ અધિકારીઓ સાથેની બેઠકમાં ભાગ લેશે.
ઉલ્લેખનીય છે કે, કિસાન મજદૂર મોરચાના કન્વીનરે કેન્દ્ર સરકારને
14 ફેબ્રુઆરી પહેલાં ચંદીગઢને બદલે દિલ્હીમાં બેઠક યોજવા વિનંતી કરી હતી, પરંતુ બેઠક યોજાઈ ન હતી. અગાઉ, સુરક્ષા દળોએ શંભુ સરહદ પર વિરોધ કરી રહેલા ખેડૂતોએ દિલ્હી તરફ કૂચ કરવાનો ત્રણ વખત પ્રયાસ કર્યો ત્યારે તેમને રોકવા ટીયર ગેસના શેલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
Site Admin | ફેબ્રુવારી 14, 2025 2:24 પી એમ(PM) | કેન્દ્ર સરકાર
કેન્દ્ર સરકાર આજે સાંજે આંદોલન કરી રહેલા પંજાબ અને હરિયાણાના ખેડૂતો સાથે ચંડીગઢમાં બેઠક કરશે
