ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 20, 2024 7:52 પી એમ(PM) | સંશોધન

printer

કેન્દ્ર સરકારે અન્ન સલામતી સહિત વિવિધ ક્ષેત્રમાં સંશોધનને પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રીય સંશોધન ફાઉન્ડેશન સ્થાપવાનો નિર્ણય લીધો

કેન્દ્ર સરકારે અન્ન સલામતી સહિત વિવિધ ક્ષેત્રમાં સંશોધનને પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રીય સંશોધન ફાઉન્ડેશન સ્થાપવાનો નિર્ણય લીધો છે. આ હેતુથી 2024થી 2028 દરમિયાન આશરે છ અબજ ડોલરની અંદાજપત્રીય ફાળવણી કરાશે. કેન્દ્રિય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડાએ આજે દિલ્હીમાં વૈશ્વિક ખાદ્ય નિયામક શિખર સંમેલનનું ઉદઘાટન કરતાં આ મુજબ જણાવ્યું હતું.
તેમણે કહ્યું કે, માનવીના ખોરાકમાં જંતુનાશકોના અવશેષોના કારણે આરોગ્ય ઉપર ગંભીર અસર થાય છે. આથી ભારતે પ્રકૃતિ ખેતી અને વૈકલ્પિક જંતુનાશકોને પ્રોત્સાહન આપવા લીધેલા પગલાં આંતરરાષ્ટ્રીય સ્તરે પણ લેવાની તાતી જરૂર છે.
તેમણે ખાદ્ય સલામતી વ્યવસ્થામાં સુધારો કરવા સતત સહકાર, નવકલ્પના અને પ્રતિબધ્ધતા વધારવા અનુરોધ કર્યો છે. તેમણે કહ્યું કે, દરિયાઈ પ્રદૂષણ વધારવામાં પ્લાસ્ટિકના કચરાનું પ્રમાણ 80 ટકા હોવા અંગે કેન્દ્રિય આરોગ્ય મંત્રીએ ચિંતા દર્શાવી હતી.
આ પ્રસંગે કેન્દ્રિય અન્ન મંત્રી પ્રહલાદ જોષીએ ગ્રાહકોના હિતોનું અને પર્યાવરણનું રક્ષણ કરવા અન્ન નિયામકો, સંશોધન સંસ્થાઓ અને ગ્રાહક બાબતોના વિભાગ વચ્ચે સહકાર વધારવા ઉપર ભાર મૂક્યો છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ