કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે ગઈકાલે નવી દિલ્હીમાં G.I. એટલે કે, ભૌગોલિક સંકેત સમારોહમાં વર્ષ 2030 સુધી
10 હજાર G.I. ટેગ સુધી પહોંચવાનો લક્ષ્યાંક રાખ્યો છે. આ પ્રસંગે શ્રી ગોયલે જણાવ્યું કે, આ લક્ષ્યાંક સમગ્ર સરકારી દ્રષ્ટિકોણથી હાંસલ કરાશે અને સરકાર તેની દેખરેખ માટે એક સમિતિ પણ બનાવશે.
શ્રી ગોયલે ઉમેર્યું, વિભાગ દ્વારા અત્યાર સુધી જાહેર કરાયેલા
G.I. ટૅગની સંખ્યા 605 છે. ગત 10 વર્ષમાં GI ટૅગ માટે અધિકૃત ઉપયોગકર્તાઓની સંખ્યા 365થી વધીને 29 હજાર થઈ છે. જ્યારે પેટન્ટની સંખ્યા 6 હજારથી વધીને 1 લાખ થઈ છે.
Site Admin | જાન્યુઆરી 23, 2025 2:07 પી એમ(PM) | વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલ
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે ગઈકાલે નવી દિલ્હીમાં G.I. એટલે કે, ભૌગોલિક સંકેત સમારોહમાં વર્ષ 2030 સુધી 10 હજાર G.I. ટેગ સુધી પહોંચવાનો લક્ષ્યાંક રાખ્યો છે
