ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

એપ્રિલ 17, 2025 9:34 એ એમ (AM)

printer

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ઉત્તરાખંડમાં ઋષિકેશ રેલવેમથકનું નિરીક્ષણ કર્યું

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ગઈકાલે ઉત્તરાખંડમાં ઋષિકેશ રેલવેમથકનું નિરીક્ષણ કર્યું. દરમિયાન તેમણે દેવપ્રયાગ અને જાનસૂ વચ્ચે નિર્માણ પામી રહેલી ટનલની પણ મુલાકાત લીધી.ઋષિકેશ-કર્ણપ્રયાગ રેલવે પરિયોજના અંતર્ગત બની રહેલી 14.57 કિલોમીટર લાંબી ટનલનું નિર્માણ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. શ્રી વૈષ્ણવે ટનલ નિર્માણ કાર્યની પ્રશંસા કરતા કહ્યું, આ પરિયોજના ઉત્તરાખંડ માટે મોટી સિદ્ધિ છે અને આનાથી પર્વતીય ક્ષેત્રોમાં રેલવે સંપર્ક મજબૂત બનશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ