કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે ભારત UPI, આધાર અને ડિજીલોકર જેવા ડિજિટલ જાહેર માળખાગત પગલાં દ્વારા ટેકનોલોજીના લોકશાહીકરણમાં અગ્રેસર તરીકે ઉભરી આવ્યું છે.
એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી વૈષ્ણવે કહ્યું કે પેરિસમાં આયોજિત AI એક્શન કોન્ફરન્સમાં, શ્રી મોદીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે ભારતના વ્યાપક વિઝનને સ્પષ્ટ કર્યું. શ્રી વૈષ્ણવે ઉમેર્યું કે પ્રધાનમંત્રીનું વિઝન “AI ફોર ગુડ” પર કેન્દ્રિત છે અને સાર્વત્રિક AI ઍક્સેસ સુનિશ્ચિત કરવા માટે સહયોગી વૈશ્વિક શાસન માળખાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે ભારતના વ્યૂહાત્મક ફાયદા, મજબૂત IT ઇકોસિસ્ટમ, વિશાળ પ્રતિભા પૂલ અને નવીનતાની સંસ્કૃતિ ભારતને વૈશ્વિક AI લેન્ડસ્કેપમાં એક અનોખું સ્થાન આપે છે.
Site Admin | ફેબ્રુવારી 13, 2025 6:20 પી એમ(PM) | મંત્રી અશ્વિની વૈષ્ણવે
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે ભારત UPI, આધાર અને ડિજીલોકર જેવા ડિજિટલ જાહેર માળખાગત પગલાં દ્વારા ટેકનોલોજીના લોકશાહીકરણમાં અગ્રેસર તરીકે ઉભરી આવ્યું છે
