કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ પોરબંદરના વિકાસ માટે 17 કરોડ 14 લાખ રૂપિયાના 61 વિકાસલક્ષી કામોનું આજે ઇ-ખાતમુહૂર્ત અને 2 કરોડ 36 લાખના 100 કામોનું ઇ-લોકાર્પણ કર્યું હતું.કાર્યક્રમ દરમિયાન ઘર વિહોણા માટે રાત્રિ આશરો, માર્ગ અને મકાન પંચાયત વિભાગ હેઠળ આવતા કામો, કુતિયાણામાં 6 પેટાઆરોગ્ય કેન્દ્ર સહિતના ઇ-ખાતમુહૂર્ત કરાયું હતું તેમજ સામાન્ય વહીવટ વિભાગ (આયોજન) હેઠળ આવતા 82 કામો અને પંચાયત ગ્રામગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ હેઠળ આવતા 18 વિકાસલક્ષી કામોની ઇ-લોકાર્પણ કરાયું હતું.
Site Admin | જાન્યુઆરી 21, 2025 7:34 પી એમ(PM) | ઇ-ખાતમુહૂર્ત
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ પોરબંદર જિલ્લા માટે વિવિધ વિકાસકાર્યોનું ઇ-ખાતમુહૂર્ત અને ઇ-લોકાર્પણ કર્યું
