ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 5, 2024 7:23 પી એમ(PM)

printer

કેન્દ્રીય મંત્રીમંડળના પાંચ ભારતીય ભાષાઓને શાસ્ત્રીય ભાષાઓનો દરજ્જો આપતાં નિર્ણયને રાજ્યભરના શિક્ષણવિદોએ આવકાર્યો

રાજયભરના શિક્ષણવિદો અને સંશોધકોએ પાંચ ભારતીય ભાષાઓને શાસ્ત્રીય ભાષાઓનો દરજ્જો આપવાના કેન્દ્રીય મંત્રીમંડળના તાજેતરનાં નિર્ણયને આવકાર્યો છે. આકાશવાણી સાથે વાત કરતાં, ગુજરાત વિદ્યાપીઠના ભારતીય ભાષા સંસ્કૃતિ સંસ્થાના નિયામક ડૉ.દિવ્યેશ ભટ્ટે આ નિર્ણયને બિરદાવતા કહ્યું કે આ નિર્ણયથી સામાન્ય લોકો, શૈક્ષણિક જગત અને બૌદ્ધિક પ્રવૃત્તિઓનું આ ભાષાઓ પ્રત્યે ધ્યાન ખેંચાશે. ઉલ્લેખનીય છે કે ગત ગુરુવારે મંત્રીમંડળે શાસ્ત્રીય ભાષાઓની યાદીમાં આસામી, બંગાળી, મરાઠી, પાલી અને પ્રાકૃતના સમાવેશને મંજૂરી આપી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ