ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 3, 2024 1:54 પી એમ(PM) | કીર્તિવર્ધન સિંહે

printer

કેન્દ્રીય પર્યાવરણ રાજ્યમંત્રી કીર્તિવર્ધન સિંહે કોલંબિયામાં કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ COP 16ની બેઠકમાં ભારતની અદ્યતન રાષ્ટ્રીય જૈવવિવિધતા વ્યૂહરચના અને કાર્ય યોજના રજૂ કરી.

કેન્દ્રીય પર્યાવરણ રાજ્યમંત્રી કીર્તિવર્ધન સિંહે કોલંબિયામાં કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ COP 16ની બેઠકમાં ભારતની અદ્યતન રાષ્ટ્રીય જૈવવિવિધતા વ્યૂહરચના અને કાર્ય યોજના રજૂ કરી.
આ પ્રસંગે સંબોધન કરતાં તેમણે ભારતના સંપૂર્ણ સરકાર અને સંપૂર્ણ સમાજના દ્રષ્ટિકોણ પર પ્રકાશ પાડ્યો હતો. શ્રી સિંહે જણાવ્યું કે આ વ્યૂહરચના આદ્રભૂમિનું રક્ષણ અને દરિયાકાંઠાના વિસ્તારોના ટકાઉ વ્યવસ્થાપન પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ કાર્યયોજના વર્ષ 2030 સુધીમાં જૈવવિવિધતાના નુકસાનને રોકવા મહત્વની માર્ગદર્શિકા છે, જેમાં પર્યાવરણીય પડકારોનો સામનો કરવાની વ્યૂહરચના તૈયાર કરવામાં આવી છે.
આ યોજના પર્યાવરણીય પ્રણાલીની પુનઃસ્થાપના, પ્રજાતિઓની પુનઃપ્રાપ્તિ કાર્યક્રમો અને સમુદાય-સંચાલિત સંરક્ષણ પ્રયાસો દ્વારા વિવિધ પડકારોનો સામનો કરવામાં મદદરૂપ સાબિત થશે. ઉલ્લેખનીય છે કે આ દસ્તાવેજ ગયા મહિનાની 30મી તારીખે જાહેર કરાયો હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ