ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 3, 2024 7:48 પી એમ(PM)

printer

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદના GMDC મેદાન ખાતે વાઇબ્રિન્ટ નવરાત્રી મહોત્સવ 2024નું ઉદ્ઘાટન કરશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદના GMDC મેદાન ખાતે વાઇબ્રિન્ટ નવરાત્રી મહોત્સવ 2024નું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ, પ્રવાસનમંત્રી મુળુ બેરા તેમજ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહેશે. આ ઉદઘાટન સમારોહ દરમિયાન ‘જય માં આદ્યાશક્તિ’ની થીમ પર મલ્ટિમીડિયા સાંસ્કૃતિક કાર્યક્રમ અને મહા આરતી યોજાશે. આ ઉપરાંત ચોથીથી ૧૧ ઓક્ટોબર દરમિયાન રાત્રે ૯ વાગ્યાથી પોણા બાર વાગ્યા સુધી રાજ્યના પ્રસિદ્ધ કલાકારો-ગાયકો દ્વારા અનેક કાર્યક્રમો પ્રસ્તુત કરશે.
વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવમાં આવતા મુલાકાતીઓની સંખ્યામાં છેલ્લા બે વર્ષમાં 11 ટકાનો ઉછાળો નોંધાયો છે.
આ ઉપરાંત મહોત્સવમાં થીમ પેવેલિયન, હસ્તકલા બજાર, ફૂડ સ્ટોલ, બાલ નગરી, વિવિધ થીમ આધારીત ગેટ વગેરે જેવા મુખ્ય આકર્ષણો પણ જોવા મળશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ