કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જે પી નડ્ડાએ તમામની આરોગ્ય સેવા વધુ સઘન બનાવવા જાહેર આરોગ્ય સંસ્થાઓને મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતાને દોહરાવી છે. તેઓ આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ સંસ્થા-NIHFW ના 48મા વાર્ષિક દિવસ ઉજવણીને વર્ચ્યુઅલી સંબોધિત કરી રહ્યા હતા. શ્રી નડ્ડાએ જણાવ્યું હતું કે NIHFW દેશમાં જાહેર આરોગ્ય વ્યાવસાયિકો માટે તાલીમ, સંશોધન અને ક્ષમતા નિર્માણ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં અગ્રેસર છે. સંસ્થામાં રાષ્ટ્રીય કોલ્ડ ચેઇન અને રસી વ્યવસ્થાપન સંસાધન કેન્દ્રના મહત્વ પર પ્રકાશ પાડતા, શ્રી નડ્ડાએ જણાવ્યું હતું કે કેન્દ્રને શ્રેષ્ઠતા માટે આંતરરાષ્ટ્રીય કેન્દ્રમાં અપગ્રેડ કરવામાં આવી રહ્યું છે. મંત્રીએ કહ્યું કે આ વિસ્તરણ ફક્ત દેશમાં જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે પણ રસીકરણ અને સપ્લાય-ચેઇનમાં ભારતના નેતૃત્વનો પુરાવો છે.
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી અનુપ્રિયા પટેલે તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે સરકાર દેશમાં પ્રાથમિક, માધ્યમિક અને તૃતીય આરોગ્યસંભાળ સેવાઓને મજબૂત બનાવીને લોકોને આરોગ્યસંભાળ સુલભ અને સસ્તી બનાવી રહી છે.
Site Admin | માર્ચ 9, 2025 7:55 પી એમ(PM) | જે પી નડ્ડા
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જે પી નડ્ડાએ તમામની આરોગ્ય સેવા વધુ સઘન બનાવવા જાહેર આરોગ્ય સંસ્થાઓને મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતાને દોહરાવી છે.
