કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયે વિશ્વ માનસિક આરોગ્ય દિવસની ઉજવણીના ભાગરૂપે ટેલી માનસ એપ અને વિડિયો કોલ સુવિધાનો આજે દિલ્હીમાં આરંભ કર્યો છે. દિલ્હીમાં યોજાયેલા ખાસ સમારંભમાં વિશ્વ આરોગ્ય સંસ્થાના ટેલી માનસ ચકાસણી અહેવાલ અને કર્મચારીઓના આરોગ્ય માટે સ્વસંભાળ મોડ્યુલનો પણ આરંભ કરાયો હતો.
આ વર્ષની વિષય વસ્તુ છે. કાર્યના સ્થળે માનસિક આરોગ્ય. આ પ્રસંગે ટેલી માનસ હેલ્પલાઇનને બે વર્ષ પૂર્ણ થયા તેની ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે આરોગ્ય મંત્રાલયના અધિક સચિવ આરાધના પટનાયકે કાર્યસ્થળે માનસિક તાણની સમસ્યા ઉકેલવાની જરૂરિયાત સમજાવી હતી. તેમણે ટેલી માનસ પહેલને સરકારની ક્રાંતિકારી પહેલ ગણાવીને તેના ઝડપી વિકાસની વિગતો આપી હતી.
આ પ્રસંગે વિશ્વ આરોગ્ય સંસ્થાના ભારત ખાતેના પ્રતિનિધિ ડોકટર રોડરીકો ઓફ્રીને જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વમાં આશરે 60 ટકા જેટલા લોકો માનસિક તાણ અનુભવે છે. તે ચિંતાજનક બાબત છે.
Site Admin | ઓક્ટોબર 10, 2024 7:51 પી એમ(PM) | વિશ્વ માનસિક આરોગ્ય દિવસ