અમરેલી જિલ્લામાં તાલુકાવાર આયોજિત રવી કૃષિ મહોત્સવના બીજા દિવસે આજે કૃષિ તજજ્ઞો દ્વારા કૃષિકારોને ખેતી ક્ષેત્રના વિવિધ આયામોને આવરી લઈ ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
અમરેલી જિલ્લાના અમારા પ્રતિનિધિ હરેશ ટાંક જણાવે છે કે જિલ્લામાં રવી કૃષિ મહોત્સવમાં કૃષિ તજજ્ઞોએ પ્રાકૃતિક ખેતી ઉપરાંત મિલેટ્સ અને બાગાયતી પાકોમાં મૂલ્ય વર્ધન, કૃષિ તથા બાગાયતી પાકોમાં તાંત્રિકતા, બાગાયતી પાકો સાથે મિશ્ર ફાર્મિંગ સહિતના કૃષિ લક્ષી વિષયોને આવરી લઈ ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે કૃષિ તજજ્ઞોએ વિસ્તૃત વિગતો આપી હતી.
Site Admin | ડિસેમ્બર 8, 2024 3:13 પી એમ(PM)
કૃષિકારોને ખેતી ક્ષેત્રના વિવિધ આયામોને આવરી લઈ ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું
