ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 27, 2025 8:10 પી એમ(PM)

printer

કરદાતાઓની સુવિધા માટે દેશભરમાં આવકવેરા વિભાગની કચેરીઓ 29 માર્ચથી 31 માર્ચ સુધી કાર્યરત રહેશે.

કરદાતાઓની સુવિધા માટે દેશભરમાં આવકવેરા વિભાગની કચેરીઓ 29 માર્ચથી 31 માર્ચ સુધી કાર્યરત રહેશે. ગુરુવારે જારી કરાયેલા એક આદેશમાં, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (સીબીડીટી) એ જણાવ્યું હતું કે, પડતર વિભાગીય કાર્ય પૂર્ણ કરવા માટે, ભારતભરની તમામ આવકવેરા કચેરીઓ 29, 30 અને 31 માર્ચ, 2025 ના રોજ ખુલ્લી રહેશે.” નિવેદન અનુસાર, કરદાતાઓને ચાલુ નાણાકીય વર્ષ 2024-25 માટે બાકી રહેલા કર સંબંધિત કામોનો નિકાલ કરવામાં સુવિધા આપવા માટે આવકવેરા વિભાગની કચેરીઓ દેશભરમાં ખુલ્લી રહેશે. સીબીડીટી દ્વારા જારી કરાયેલા એક નોટિફિકેશન અનુસાર, દેશભરમાં આવકવેરા વિભાગની ઓફિસો સપ્તાહના અંતે અને સોમવારે ઈદ-ઉલ-ફિત્ર હોવા છતાં ખુલ્લી રહેશે.
ભારતીય રિઝર્વ બેંકે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ચાલુ નાણાકીય વર્ષ 2024-25 માં સરકારી રસીદો અને ચૂકવણીના હિસાબને સરળ બનાવવા માટે દેશભરમાં ખાસ ક્લિયરિંગ કામગીરી હાથ ધરવા માટે જરૂરી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આરબીઆઈ એ બેંકોને 31 માર્ચે ખુલ્લી રાખવાનો નિર્દેશ આપ્યો છે.
31 માર્ચ, 2025 એ આકારણી વર્ષ 2023-24 માટે અપડેટેડ આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ પણ છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ