આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા 100 દિવસના ક્ષય નાબૂદી અભિયાનમાં દેશભરમાં 5 લાખથી વધુ ક્ષય રોગના દર્દીઓ મળી આવ્યા છે.આ અભિયાનમાં સામેલ 455 જિલ્લાઓમાં, 3.57 લાખથી વધુ ક્ષય દર્દીઓનું નિદાન થયું છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યું કે, 10 કરોડથી વધુ સંવેદનશીલ વ્યક્તિઓનું આ રોગ માટે પરીક્ષણ કરવામાં આવ્યું છે.
આ અભિયાન હેઠળ, 10 લાખ નિક્ષય શિબિરોએ આધુનિક ટીબી નિદાન સાધનોને લોકોના ઘરોની નજીક લાવવામાં મદદ કરી છે. વધુમાં, 836 નિક્ષય વાહન તૈનાત કરવામાં આવ્યા છે, જેથી સૌથી દૂરના વિસ્તારોમાં કવરેજ સુનિશ્ચિત કરી શકાય. આ અભિયાન શરૂ થયા પછી, 2.4 લાખથી વધુ નિક્ષય મિત્રએ પણ નિક્ષય શપથ દ્વારા નોંધણી કરાવી છે, જે વ્યક્તિઓ અને સમુદાયના નેતાઓ સહિત અન્ય લોકો ટીબી દર્દીઓને પોષણયુક્ત બાસ્કેટ, મનોસામાજિક અને વ્યાવસાયિક સહાય પૂરી પાડવા માટે પ્રોત્સાહિત કરે છે.
Site Admin | ફેબ્રુવારી 23, 2025 8:58 એ એમ (AM) | આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા 100 દિવસના ક્ષય નાબૂદી અભિયાનમાં દેશભરમાં 5 લાખથી વધુ ક્ષય રોગના દર્દીઓ મળી આવ્યા છે.
