આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જગત પ્રકાશ નડ્ડા આજે હરિયાણાના પંચકુલાથી દેશભરમાં ટીબી નાબૂદી માટેના 100 દિવસીય અભિયાનની શરૂઆત કરાવશે. આ પ્રસંગે મુખ્યમંત્રી નાયબ સિંહ અને હરિયાણાના આરોગ્ય મંત્રી આરતીસિંહ રાવ પણ ઉપસ્થતિ રહેશે. આ અભિયાન 33 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 347 જિલ્લાઓમાં ચલાવવામાં આવશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2018માં દિલ્હી એન્ટી-ટ્યુબરક્યુલોસિસ સંમેલનમાં દેશને ટીબી મુક્ત બનાવવાનું વચન આપ્યું હતું. આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય વધુ જોખમ ધરાવતી વ્યક્તિઓ માટે ગુણવત્તાયુક્ત સારવાર, સંવેદનશીલ જૂથોમાં લક્ષિત સ્ક્રીનીંગ, વિશિષ્ટ સંભાળ અને પોષણ સહાય પ્રદાન કરવાનો છે.
Site Admin | ડિસેમ્બર 7, 2024 8:55 એ એમ (AM) | આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જગત પ્રકાશ નડ્ડા આજે હરિયાણાના પંચકુલાથી દેશભરમાં ટીબી નાબૂદી માટેના 100 દિવસીય અભિયાનની શરૂઆત કરાવશે.
