આજના ચોથી જાન્યુઆરીના દિવસને વિશ્વ બ્રેઈલ દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. પ્રજ્ઞાચક્ષુ અને આંશિક દ્રષ્ટિ ધરાવતા લોકો માટે સંદેશા વ્યવહારના સાધન તરીકે બ્રેઈલના મહત્વ અંગે જાગૃતિ લાવવા માટે દર વર્ષે આ દિવસની ઉજવણી કરાય છે.
વર્ષ 2018માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ બ્રેઈલ પ્રણાલિના વિચારક લુઈસ બ્રેઈલની જયંતી નિમિત્તે ચાર જાન્યુઆરીને વિશ્વ બ્રેઈલ દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો હતો. પ્રજ્ઞાચક્ષુ અને આંશિક દ્રષ્ટિ ધરાવતા લોકો પુસ્તકો અને પત્રિકાઓ વગેરે વાંચવા માટે બ્રેઈલ ભાષાનો ઉપયોગ કરે છે.
ભારતમાં સરકારે પ્રજ્ઞાચક્ષુ લોકોને તેમના અધિકારો, શિક્ષણ, રોજગાર અને એકંદર સુખાકારી માટે સશક્ત બનાવવા અનેક પગલાં લીધાં છે.
Site Admin | જાન્યુઆરી 4, 2025 3:08 પી એમ(PM)
આજના ચોથી જાન્યુઆરીના દિવસને વિશ્વ બ્રેઈલ દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે
