અમેરિકાથી પરત આવેલા રાજ્યના તમામ ૩૩ નાગરિકોને અમદાવાદ વિમાની મથકેથી પોલીસની સુરક્ષા સાથે ઘરે પહોંચાડવામાં આવ્યા છે.
૩૩ નાગરિકોના રહેણાકની વિગતોના આધારે, સંબંધિત જિલ્લાની પોલીસ દ્વારા એક નોડલ અધિકારીની નિમણુક કરી, તમામ નાગરિકોને સરકારી વાહન દ્વારા સુરક્ષિત રીતે તેમના ઘરે પહોંચાડવામાં આવ્યા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અમેરિકાથી પરત મોકલવામાં આવેલા નાગરિકો અંગેની ઘટનાને ગંભીરતાથી લઈને દેશનિકાલ કરાયેલા રાજ્યના નાગરિકોની સુરક્ષા અને જરૂરી સંકલન માટે સિનિયર અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
Site Admin | ફેબ્રુવારી 6, 2025 8:17 પી એમ(PM) | અમેરિકા
અમેરિકાથી પરત આવેલા રાજ્યના તમામ ૩૩ નાગરિકોને અમદાવાદ વિમાની મથકેથી પોલીસની સુરક્ષા સાથે ઘરે પહોંચાડવામાં આવ્યા છે
