અમદાવાદ મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન દેવાંગ દાણીએ વર્ષ 2025-26 નું સુધારા સાથેનું અંદાજપત્ર રજૂ કર્યું. આ અંદાજપત્રમાં એડવાન્સ ટેકસ ચુકવનારને 10 ટકાને બદલે 12 ટકા રીબેટ આપવાનો નિર્ણય લેવાયો છે. ઓનલાઇન પેમેન્ટ અને સળંગ ત્રણ વર્ષનો એડવાન્સ ટેક્સ ચૂક્યો હોય તે તમામને 15 ટકા જેટલું પ્રિબેટ અપાશે. જેનો અમલ આગામી નાણાકીય વર્ષ 2025- 26થી કરાશે.
ઉલ્લેખનીય છે કે મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારેસન દ્વારા 14 હજાર કરોડ રૂપિયાનું અંદાજપત્ર રજૂ કરાયું, જ્યારે શાસક પક્ષ દ્વારા 1501 કરોડના વધારા સાથે 15 હજાર 502 કરોડ રૂપિયાનું અંદાજ પત્ર રજૂ કરાયું છે.
Site Admin | ફેબ્રુવારી 14, 2025 3:42 પી એમ(PM) | મહાનગરપાલિકા
અમદાવાદ મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન દેવાંગ દાણીએ વર્ષ 2025-26 નું સુધારા સાથેનું અંદાજપત્ર રજૂ કર્યું
