ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 25, 2025 8:33 એ એમ (AM)

printer

અમદાવાદમાં આવેલા નળ સરોવર પક્ષી અભયારણ્યમાં આજે અને આવતીકાલે જળાશયના પક્ષીઓની પ્રાથમિક ગણતરી હાથ ધરાશે

અમદાવાદમાં આવેલા નળ સરોવર પક્ષી અભયારણ્યમાં આજે અને આવતીકાલે જળાશયના પક્ષીઓની પ્રાથમિક ગણતરી હાથ ધરાશે. આ બે દિવસ દરમિયાન જાહેર જનતા માટે પ્રવેશ પર પ્રતિબંધ લગાવાયો છે. અંદાજે 100 પક્ષીવિદ્, તજજ્ઞ-સ્વયંસેવકો 46 ઝૉન પાડીને પ્રાથમિક પક્ષી ગણતરી કરશે તેમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે.ઉલ્લેખનીય છે કે, પરિસ્થિતિ વિષયક ક્ષેત્ર સહિત 120.82 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ગણતરી કરાશે. આ કામગીરીમાં ખલેલ ન પહોંચે તે માટે સ્થાનિક વનવિભાગને સંપૂર્ણ સહયોગ આપવા અગ્ર મુખ્ય વન સંરક્ષક ડૉ. જયપાલ સિંહે જાહેર જનતાને અપીલ કરી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ