શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું છે કે શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ આગામી સમયમાં નવા ૧૦૦ ભોજન વિતરણ કેન્દ્રો શરુ કરાશે. માત્ર 5 રૂપિયાના નજીવા દરે શ્રમયોગીઓને પૌષ્ટિક ભોજન પૂરું પાડતી “શ્રમિક અન્નપૂર્ણા યોજના” હેઠળ અત્યારે ૧૯ જિલ્લામાં કુલ ૨૯૦ ભોજન વિતરણ કેન્દ્રો કાર્યરત છે.એપ્રિલ-૨૦૨૪ થી અત્યાર સુધીમાં જ ૭૫.૭૦ લાખથી વધુ ભોજનનું અને કુલ ૨.૯૩ કરોડ રૂપિયાથી વધુનું ભોજનનું વિતરણ કરાયું. આ દરેક ભોજન પાછળ રાજ્ય સરકાર પ્રતિ ભોજન ૩૭ રૂપિયાની સબસીડી ચૂકવે છે. રાજ્યના ૧૯ જિલ્લામાં કુલ ૨૯૦ કડીયાનાકાઓ ખાતે આવા ભોજન વિતરણ કેન્દ્રો કાર્યરત છે.
Site Admin | ડિસેમ્બર 10, 2024 7:28 પી એમ(PM) | શ્રમિક અન્નપૂર્ણા યોજના
શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા નવા ૧૦૦ ભોજન વિતરણ કેન્દ્રો શરુ કરવાની જાહેરાત
