રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે વ્યવસાયિક કંપનીઓને વૈશ્વિક માનવાધિકાર ધોરણોનું પાલન સુનિશ્ચિત કરવા જણાવ્યું છે. પુણેની એક ખાનગી કંપનીમાં કામના બોજના કારણે કેરળનાં એક મહિલાના મૃત્યુ અંગે પંચે સ્વતઃ નોંધ લીધી છે.
પંચે વ્યવસાયિક સંસ્થાઓને તેમની કાર્ય સંસ્કૃતિ, રોજગાર નીતિઓ અને નિયમોની સમીક્ષા કરવા સલાહ આપી છે. પંચે આ સંસ્થાઓ માનવ અધિકારના મુદ્દાઓ પ્રત્યે સંવેદનશીલ અને જવાબદાર હોવી જોઈએ તે વાત પર ભાર મૂક્યો છે.
Site Admin | સપ્ટેમ્બર 22, 2024 2:23 પી એમ(PM)
રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે વ્યવસાયિક કંપનીઓને વૈશ્વિક માનવાધિકાર ધોરણોનું પાલન સુનિશ્ચિત કરવા જણાવ્યું
