કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુએ રાજ્યસભામાં વક્ફ સુધારા વિધેયક 2025 રજૂ કર્યું છે. જેનાં પર હાલ ચર્ચા ચાલુ છે. વિધેયક રજૂ કરતા શ્રી રિજિજુએ જણાવ્યું કે, વક્ફ બિલ માટે એક કરોડ સૂચનો આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે,ગત રાત્રે લોકસભામાં અંદાજે 12 કલાકની ચર્ચા બાદ આ બિલ પસાર કરાયું હતું.
વક્ફ સુધારા વિધેયકનો ઉદ્દેશ વારસાગત સ્થળોની સુરક્ષા અને સામાજિક કલ્યાણને પ્રોત્સાહન આપવાની જોગવાઈઓ સાથે વક્ફ મિલકતોના વ્યવસ્થાપનને સુવ્યવસ્થિત કરવાનો છે. આ કાયદાનો ઉદ્દેશ મિલકત વ્યવસ્થાપનમાં પારદર્શકતા વધારી વક્ફ બૉર્ડ અને સ્થાનિક અધિકારીઓ વચ્ચે સંકલનને સુવ્યવસ્થિત કરીને અને હિતધારકોના અધિકારોનું રક્ષણ કરીને શાસનમાં સુધારો કરવાનો પણ છે.
Site Admin | એપ્રિલ 3, 2025 3:27 પી એમ(PM)
રાજ્યસભામાં વક્ફ સુધારા વિધેયક 2025 રજુ કરવામાં આવ્યું
