પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઇકાલે છત્તીસગઢના મોહભટ્ટા અને બિલાસપુર જિલ્લામાં 33 હજાર 700 કરોડ રૂપિયાના વિકાસકાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. આ વિકાસ કાર્યોમાં વીજળી, રસ્તા, રેલ્વે, ઓઇલ અને ગેસ, શિક્ષણ અને આવાસનો સમાવેશ થાય છે.કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રએ આવાસ યોજના-ગ્રામીણના ત્રણ લાખ લાભાર્થીઓને ઘરોની ચાવીઓ સોંપી હતી.આ પ્રસંગે સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું કે છત્તીસગઢના નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં કાયમી શાંતિનો એક નવો યુગ જોવા મળી રહ્યો છે.
Site Admin | માર્ચ 31, 2025 9:39 એ એમ (AM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ છત્તીસગઢમાં 33 હજાર 700 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો.
