રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, દોઢ વર્ષમાં તમામ રેલવે સ્ટેશનો પર પૂરતી સંખ્યામાં CCTV કેમેરા લગાવવામાં આવશે. લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન પૂરક પ્રશ્નોના જવાબમાં શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે, ભારતીય રેલવેએ મહિલાઓની સલામતી માટે અનેક પગલાં લીધાં છે. તેમણે ઉમેર્યું કે દરેક વિભાગ, ઝોન અને રેલવે બોર્ડમાં વોર રૂમ પણ સ્થાપિત કરવામાં આવ્યા છે, જેના દ્વારા સ્ટેશનો પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.
Site Admin | એપ્રિલ 2, 2025 7:57 પી એમ(PM)
દોઢ વર્ષમાં તમામ રેલવે સ્ટેશનો પર CCTV કેમેરા લગાવવામાં આવશે : રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ
