પ્રસાર ભારતીના ચેરમેન નવનીત સહગલે જણાવ્યું હતું કે, દુરદર્શનનું વેવ્સ ઓટીટી પ્લેટફોર્મ પરિવારના તમામ સભ્યો માટે સંપૂર્ણ અને આરોગ્યપ્રદ મનોરંજન પુરુ પાડશે અને જાહેર પ્રસારણકર્તાને તેની પહોંચને વધુ પ્રેક્ષકો સુધી વિસ્તારવામાં મદદ કરશે.
આજે અમદાવાદ દુરદર્શન કેન્દ્રની મુલાકાત દરમિયાન શ્રી સહગલે કેન્દ્રની કામગીરીની સમીક્ષા કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, વેવ્સ ઓટીટી માત્ર નવીસામગ્રી જ નહીં પરંતુ દર્શકોને દૂરદર્શનના જૂના ક્લાસિક અને લોકપ્રિય કાર્યક્રમોનો આનંદ માણવાની તક પણ પ્રદાન કરશે