ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 19, 2024 7:24 પી એમ(PM) | ગૃહમંત્રી અમિત શાહ

printer

ગૃહમંત્રી અમિત શાહે ડૉ. બી.આર. આંબેડકર પર કરેલી ટિપ્પણીને કારણે આજે સંસદના બંને ગૃહોની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી

ગૃહમંત્રી અમિત શાહે ડૉ. બી.આર. આંબેડકર પર કરેલી ટિપ્પણીને કારણે આજે સંસદના બંને ગૃહોની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. વહેલી સવારે સ્થગિત કર્યા બાદ લોકસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યે ફરી શરૂ થઈ ત્યારે કોંગ્રેસ, ડીએમકે, સમાજવાદી પાર્ટી અને અન્ય વિપક્ષી સાંસદો ગૃહની મધ્યમાં એકઠા થયા હતા. કેટલાક સભ્યો ગૃહમંત્રી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતી ગૃહની મધ્યમાં પહોંચી ગયા હતા. હોબાળા વચ્ચે સભાપતિએ ગૃહની કાર્યવાહી દિવસભર માટે સ્થગિત કરી દીધી હતી.
આવું જ દ્રશ્ય રાજ્યસભામાં પણ જોવા મળ્યું હતું. બપોરે 2 વાગ્યે સ્થગિત કર્યા પછી ગૃહની કાર્યવાહી શરૂ થઈ ત્યારે સંસદ ભવન સંકુલમાં વિરોધ દરમિયાન ભાજપના બે સાંસદો ઘાયલ થયા હોવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. ભાજપના સાંસદ ફેગનન કોન્યાકે આરોપ લગાવ્યો કે સંસદની બહાર વિરોધ પ્રદર્શન દરમિયાન લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ તેમની સાથે ગેરવર્તન કર્યું.
સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ આ ઘટના માટે શ્રી ગાંધી અને કોંગ્રેસ પાસેથી માફીની માંગ કરી હતી, જેમાં ભાજપના બે સાંસદો ઘાયલ થયા હતા. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે શ્રી ગાંધીના વર્તનથી સંસદની ગરિમા ઘટી છે.
ડીએમકેના તિરુચિ સિવાએ રાહુલ ગાંધીએ ભાજપના સાંસદોને ધક્કો માર્યાના આરોપોને નકારી કાઢ્યા હતા. તેમણે કહ્યું કે શાસક પક્ષ જે કંઈ પણ કહી રહ્યો છે તે વાર્તાની એક બાજુ છે. તેમણે કહ્યું કે સંસદ ભવનમાં પ્રવેશ કરતી વખતે રાહુલ ગાંધીને ધક્કો મારવામાં આવ્યો હતો. અગાઉ, જ્યારે ગૃહની કાર્યવાહી શરૂ થઈ, ત્યારે અધ્યક્ષ જગદીપ ધનખડે શ્રી શાહની ટિપ્પણીઓ અને અન્ય મુદ્દાઓ પર વિપક્ષી સાંસદો દ્વારા આપવામાં આવેલી સ્થગિત નોટિસને નકારી કાઢી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ