ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 22, 2024 2:21 પી એમ(PM)

printer

અમેરિકાએ ભારતમાંથી ચોરાયેલી અને તસ્કરી કરાયેલી 297 કલાકૃતિ ભારતને પરત આપવાનો નિર્ણય કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અમેરિકા પ્રવાસ દરમિયાન અમેરિકાએ ભારતમાંથી ચોરાયેલી અને તસ્કરી કરાયેલી 297 કલાકૃતિ ભારતને પરત આપવાનો નિર્ણય કર્યો છે. આ કલાકૃતિઓ ટૂંક સમયમાં ભારત મોકલવામાં આવશે. ડેલાવેયરના વિલમિંગ્ટનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જૉ બાઈડેનની દ્વિપક્ષીય બેઠક દરમિયાન આ કલાકૃતિઓને પ્રતિકાત્મક રીતે સોંપવાની રીતે બંને નેતાઓને કેટલીક કલાકૃતિઓ બતાવવામાં આવી હતી.
પ્રધાનમંત્રીએ આ કલાકૃતિઓને પરત આપવા અંગે રાષ્ટ્રપ્રમુખ બાઈડેનનો આભાર વ્યક્ત કરતાં કહ્યું કે, આ કલાકૃતિઓ ભારતની ઐતિહાસિક સંસ્કૃતિનો હિસ્સો તો છેજ, પરંતુ દેશની સભ્યતા અને ચેતનાનો પણ આધાર છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ