સમાચાર ઊડતી નજરે
અમિત શાહે જણાવ્યું છે કે, વર્ષ 2022-23માં ખાદીનો કુલ કારોબાર એક લાખ 35 હજાર કરોડને પાર કરી ગયો છે            કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઇકાલે ગાંધીનગર લોકસભા મતવિસ્તારની 8 નવી સબ પોસ્ટ ઓફિસનું વર્ચ્યુઅલ માધ્યમથી લોકાર્પણ કર્યુ            મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને તેલંગણામાં તાજેતરમાં યોજાયેલ વિધાનસભા ચૂંટણી માટે આજે મતગણતરી            વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ નવી દિલ્હીમાં દિવ્યાંગ સશક્તિકરણ માટે રાષ્ટ્રીય પુરસ્કાર, 2023 પ્રદાન કરશે.            ભારત અને ઓસ્ટ્રેલિયા પાંચ ક્રિકેટ મેચની શ્રેણીની છેલ્લી T20 મેચ આજે બેંગલુરુ ખાતે સાંજે 7 વાગ્યે રમાશે.           

Sep 22, 2023
11:50AM

યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા યાત્રાધામ પર્વતો પર પર્યાવરણની જાળવણી માટે સફાઇ અભિયાનનો પ્રારંભ કરાયો

File Pic
રાજયના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા યાત્રાધામ પર્વતો પર પર્યાવરણની જાળવણી માટે પર્વત પવિત્રતા અભિયાનનો પ્રારંભ કરાયો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યાત્રાધામોની પવિત્રતા જાળવી રાખવા વ્યાપક સ્વચ્છતા અભિયાન ચલાવવાની મંજૂરી આપ્યા બાદ, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા અંબાજીમાં 23 સપ્ટેમ્બરથી શરૂ થતાં ભાદરવી પૂનમના મેળા પહેલા ગબ્બર પર્વત પર ‘પર્વત પવિત્રતા અભિયાન’ શરૂ કરી દેવામાં આવ્યું  છે. અને નવરાત્રિ પહેલા પાવાગઢ અને ગિરનાર પર્વતો પર મોટા પાયે સફાઈ કામગીરી શરુ કરવામાં આવશે. 
યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ શ્રી આર. આર. રાવલે જણાવ્યું કે લાંબા સમયથી અંબાજી, પાવાગઢ ખાતે આવેલ શ્રી મહાકાળી મંદિર તથા ગિરનાર તીર્થ જેવા યાત્રાધામો પર્વતો પર હોવાના કારણે આ પવિત્ર યાત્રાધામ પરિસરોની આસપાસના ડુંગરાળ વિસ્તારોમાં સફાઈ કામગીરી થઈ શકતી નહોતી. મુખ્યમંત્રી દ્વારા આ દરખાસ્તને મંજૂરી મળ્યા બાદ બોર્ડે પ્રથમ વખત પર્વતીય પ્રદેશ પર સ્થિત પવિત્ર યાત્રાધામ પરિસર તથા આસપાસના ડુંગરાળ વિસ્તારોમાં કચરો-ગંદગી સાફ કરવાની વ્યાપક ઝુંબેશ શરૂ કરવાનો પ્રયોગ હાથ ધર્યો છે. તેમાં અત્યાધુનિક સાધનો દ્વારા સ્વચ્છતા કામગીરી હાથ ધરાશે.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ