સમાચાર ઊડતી નજરે
નવ વર્ષમાં સ્વચ્છ ભારત અભિયાન એક મોટું અભિયાન બની ગયું છે : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી            આજે અનંત ચતુર્દશીનો તહેવાર ગણેશ વિસર્જન સાથે ઉજવવામાં આવશે            ભારતીય સેના આજે 197મો ગનર્સ ડે ઉજવી રહી છે            મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રૂપિયા 76 કરોડના ખર્ચે નવીનીકરણ કરાયેલા જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લાનું લોકાર્પણ કર્યું            આયુષ્યમાન ભવ કાર્યક્રમ અંતર્ગત દીવ જીલ્લાને કુપોષણ મુક્ત બનાવવા દીવ કલેકટર દ્વારા એક ટાસ્ક ફોર્સ બનાવવામાં આવી           

Jun 09, 2023
11:25AM

ભારતે, કેનેડામાં ભારતના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીની હત્યાની ઉજવણીની છૂટ આપવા બદલ કેનેડાની કરી ટીકા

@DrSJaishankar
ભારતે કેનેડામાં ભારતના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીની હત્યાની ઉજવણીની છૂટ આપવા બદલ કેનેડાની ટીકા કરી છે. નવી દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતા વિદેશમંત્રી જયશંકરે કહ્યું કે, કેનેડામાં અલગતાવાદી, ઉગ્રવાદી અને હિંસાની તરફેણ કરનારા લોકોને આપવામાં આવેલી મોકળાશ ભારત અને કેનેડાના સંબંધો માટે યોગ્ય નથી. 
કેનેડા સરકાર દ્વારા ત્યાંની કોલેજોમાં ભણતા 700 જેટલા ભારતીય વિદ્યાર્થીઓને પોતાના દેશ પરત મોકલવાના સંભવિત નિર્ણય પર ટિપ્પણી કરતા તેમણે જણાવ્યું કે, કેનેડાના સત્તાધીશો દ્વારા આ વિદ્યાર્થીઓના શિક્ષણના હિતની અવગણા કરાઈને લેવાયેલ આ નિર્ણય અયોગ્ય છે. તેમણે કહ્યું કે, કેનેડા ખાતેના ભારતીય હાઈકમિશને આ મુદ્દે કેનેડા સરકારને રજૂઆત કરી છે. 

લાઈવ ટ્વીટર ફીડ