A-
A
A+
છેલ્લી અપડેટ્સ :
Sep 23 2023 8:34PM
સ્ક્રીન રીડર એક્સેસ
Select Language/ભાષા પસંદ કરો
English/અંગ્રેજી
Hindi/હિન્દી
Gujarati/ગુજરાતી
Marathi/મરાઠી
Urdu/ઉર્દૂ
Tamil/તામિલ
Dogri/ડોગરી
Assamese/આસામી
Rajasthani/राजस्थानी
હોમ પેજ
સમાચાર ઊડતી નજરે
એક રાષ્ટ્ર એક ચૂંટણી સમિતિની સૌ પહેલી બેઠક આજે નવી દિલ્હીમાં યોજાઇ ગઇ.
          
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે કરશે મન કી બાત
          
ભૂપેન્દ્ર પટેલ તેમજ કેન્દ્રીય મંત્રીઓ અશ્વીની વૈષ્ણવ અને રાજીવ ચંદ્રશેખરના હસ્તે સાણંદ જીઆઇડીસી ખાતે માઇક્રોનના સેમિકંડકટર પ્લાન્ટનું ખાતમુહુર્ત કર્યું
          
રાજય સરકાર દ્વારા નર્મદા નદીમાં પૂરથી થયેલા ખેતીપાકોને નુકશાન અન્વયે ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લામાં ખાસ કૃષિ રાહત પેકેજ 2023 જાહેર કરવામાં આવ્યું
          
ક્રિકેટમાં આવતીકાલે ભારત, ઇન્દોરના હોળકર સ્ટેડિયમમાં ત્રણ એક દિવસીય મેચની શૃંખલાની બીજી મેચ ઓસ્ટ્રેલિયા સામે રમશે
          
Nov 25, 2022
,
6:48PM
દેશનો ઈતિહાસ ગુલામીની ગાથા નથી પરંતુ તે શૌર્ય, બલિદાન અને વીરતાનો ઈતિહાસ છે :પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
આકાશવાણી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે દેશનો ઈતિહાસ ગુલામીની ગાથા નથી પરંતુ શૌર્ય, બલિદાન અને વીરતાનો ઈતિહાસ છે. નવીદિલ્હીમાં લચિત બરફૂકનની 400મી જન્મજયંતિની ઉજવણીના સમાપન સમારોહમાં શ્રી મોદીએ જણાવ્યું કે આઝાદીનો ખોટો લખાયેલો ઈતિહાસ બદલવો જરૂરી હતો પરંતુ કમનસીબે એવું થયું નહોતું. તેમણે કહ્યું કે હવે બ્રિટિશ શાસનના અંત બાદ થયેલી ભૂલોને સુધારવામાં આવી રહી છે.
અહોમ સેનાપતિ લચિત બરફૂકને તેમનાં કાર્યો દ્વારા આપણને દેશભક્તિ શીખવી હતી એમ જણાવી તેમણે કહ્યું કે આપણા પૂર્વજોએ વિદેશી આક્રમણકારો સામે જોરદાર લડત આપી અને તેમની હિંમતને કારણે આપણી સંસ્કૃતિ અને સભ્યતા જીવંત છે. લચિત બરફૂકન દેશના મહાન યોદ્ધા હતા. તલવારોની તાકાતથી આપણને કોઈ હરાવી શક્યું નથી અને ઇશાન ભારત તેનું ઉત્તમ ઉદાહરણ છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે લચિત બરફૂકનના સેનાપતિપદે અહોમ રાજવંશે મુઘલોને હરાવ્યા અને ઔરંગઝેબ પાસેથી ગુવાહાટીનો કબજો મેળવ્યો હતો. તેમણે કહ્યું કે સરાઈઘાટનું યુદ્ધ પણ લચિત બરફૂકન દ્વારા રાષ્ટ્રપ્રેમનો પુરાવો છે.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી સર્વાનંદ સોનોવાલે લચિત બરફૂકનને હિંમતનું પ્રતિક ગણાવ્યા અને આશા વ્યક્ત કરી કે દેશના નાગરિકો લચિતની બહાદુરીનો વધુ અભ્યાસ કરશે. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે આ પ્રસંગ માટે ખાસ તૈયાર કરવામાં આવેલી એપ પર 40 લાખ લોકોએ લચિત બરફૂકનને શ્રધ્ધાંજલિ આપી છે. સરાઈઘાટનું યુદ્ધ દેશની સીમાચિહ્નરૂપ ક્ષણ છે કારણ કે લચિતે આ યુદ્ધમાં મુઘલોને હરાવ્યા હતા અને ઔરંગઝેબના વિસ્તરણને અટકાવ્યું હતું. લચિત દેશના હીરો હતા અને લોકોએ તેમની વીરતા અને દેશભક્તિ અંગે વધુ જાણવું જોઈએ.
સંબંધિત સમાચાર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જામનગર -અમદાવાદ સ્ટેશનો વચ્ચે દોડનારી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને 24મી સપ્ટેમ્બરના રોજ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીની મુલાકાત લેશે
પ્રધાનમંત્રીએ ગઇકાલે રશિયાના રાષ્ટ્રપતિ સાથે ટેલિફોન પર વાત કરી
લોકસભામાં મહિલા અનામત વિધેયક પસાર થવાથી મહિલા સમુદાયમાં નવી ઉર્જા અને આત્મવિશ્વાસનો સંચાર થશે.:પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
પ્રધાનમંત્રીએ આ સિદ્ધિ બદલ ઇસરોની પ્રશંસા કરી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, બ્રિક્સ સંગઠનને ભવિષ્ય માટે તૈયાર કરવા સંબંધિત દેશોને પણ તૈયાર થવું પડશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે બેંગલુરુમાં ઈસરોના વૈજ્ઞાનિકોને સંબોધન કરતી વખતે ઘણી મોટી જાહેરાતો કરી હતી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારત આવનારા વર્ષોમાં વિશ્વનું ગ્રોથ એન્જિન બનશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં બપોરે બાર વાગ્યે B-20 ઈન્ડિયા શિખર સમ્મેલનને સંબોધિત કરશે
પ્રધાનમંત્રીએ જાહેરાત કરી છે કે, ભારતમાં 23 ઓગસ્ટ “રાષ્ટ્રીય અવકાશ દિવસ” તરીકે ઉજવાશે
લાઈવ ટ્વીટર ફીડ