સમાચાર ઊડતી નજરે
​ભારત થોડાં વર્ષોમાં જ વિશ્વમાં ટેલિકોમ ટેક્નોલોજીનો સૌથી મોટો નિકાસકાર બનશે :​પ્રધાનમંત્રી            ​રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આ વર્ષના પદ્મ પુરસ્કારથી મહાનુભાવોને સન્માનિત કર્યા            ​વિશ્વ મહિલા મુક્કાબાજ ચેમ્પિયનશિપમાં નીતુ ઘંઘાસે 48 કિગ્રા રમતમાં ભારતનો પ્રથમ સુવર્ણચંદ્રક જીત્યો            ​આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ            ​ગુગલ સાથે ગુજરાત સરકારે મહત્વપૂર્ણ સ્ટ્રેટેજિક પાર્ટનરશીપના એમ.ઓ.યુ. કર્યા.           

Feb 03, 2023
11:13AM

જળજીવન મિશન હેઠળ રાજ્યમાં ૨૦૨૪ સુધીમાં તમામ ઘરમાં નળ દ્વારા પાણી અપાશે.

--
જળજીવન મિશન હેઠળ રાજ્યમાં ૨૦૨૪ સુધીમાં તમામ ઘરમાં નળ દ્વારા પાણી અપાશે. હાલ દેશમાં અગિયાર કરોડ પાંચ લાખ ગ્રામીણ પરિવારોના ઘરમાં નળ દ્વારા પાણીનો પુરવઠો મળી રહ્યો છે. જળશક્તિ રાજ્યમંત્રી પ્રહલાદસિંહ પટેલે જણાવ્યું કે સરકાર 2024 સુધીમાં દેશના દરેક ગ્રામીણ ઘરમાં નળ દ્વારા પાણીનું જોડાણ આપવા માટે જળજીવન મિશનનો અમલ કરી રહી છે. 
ગઇકાલે લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં શ્રી પટેલે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, જળજીવન મિશનની જાહેરાત સમયે, ત્રણ કરોડ 23 લાખ ગ્રામીણ પરિવારોના ઘરમાં નળ દ્વારા પાણીના જોડાણ હતાં. હવે અત્યાર સુધીમાં વધુ સાત કરોડ 81 લાખ ગ્રામીણ પરિવારોને નળ મારફતે પાણીનાં જોડાણો આપવામાં આવ્યાં છે.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ