સમાચાર ઊડતી નજરે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ માધ્યમથી કેન્દ્ર સરકારની કલ્યાણ યોજનાઓના લાભાર્થીઓ સાથે સંવાદ કરશે            તેલંગાણા વિધાનસભાની ચૂંટણી આવતીકાલે યોજાશે            પ્રધાનમંત્રી વિવિધ સરકારી વિભાગોમાં નિમણૂંક પામેલા 51 હજારથી વધુ લોકોને નિમણૂંક પત્રો એનાયત કરશે            મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ટોક્યોમાં જાપાનના અગ્રણી ઉદ્યોગ રોકાણકારો સાથે રોડ-શો યોજ્યો            કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાની મુદત આગામી પહેલી જાન્યુઆરી, 2024થી વધુ પાંચ વર્ષ સુધી લંબાવી           

Nov 25, 2022
1:59PM

કોવિડ, આબોહવા પરિવર્તન અને યુક્રેન સંઘર્ષ વચ્ચે વિશ્વમાં જાડાં ધાન્યની માંગ વધુ સુસંગત છે. - ડૉ. એસ. જયશંકર

--
વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે જણાવ્યું છે કે, કોવિડ, આબોહવા પરિવર્તન અને યુક્રેન સંઘર્ષ વચ્ચે વિશ્વમાં જાડાં ધાન્યની માંગ વધુ સુસંગત છે.
ગઈકાલે નવી દિલ્હીમાં 'ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ 2023' ની ઉજવણીના આરંભ પૂર્વે બોલતાં ડૉ. જયશંકરે જણાવ્યું કે જાડાં ધાન્ય ખાદ્ય સુરક્ષા તેમજ આંતરરાષ્ટ્રીય સંબંધો માટે મહત્વપૂર્ણ છે. આબોહવા પરિવર્તન ઉત્પાદનને ઘટાડી શકે છે અને વેપારને વિક્ષેપિત કરી શકે છે. ત્યારે આંતરરાષ્ટ્રીય દ્રષ્ટીએ ખાદ્ય સુરક્ષા પર વધુ ધ્યાન આપવું જોઈએ.
કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે જણાવ્યું કે જાડાં ધાન્યનું આંતરરાષ્ટ્રીય વર્ષ ખાદ્ય સુરક્ષા અને પોષણમાં બરછટ ગણાતા ધનના મહત્વ વિશે જાગૃતિ ફેલાવશે. ભારત જાડાં ધાન્યના મુખ્ય ઉત્પાદકો પૈકી એક છે. 
ગઈકાલે સમારોહમાં 60થી વધુ દેશોના હાઈ કમિશનરો અને રાજદૂતોએ હાજરી આપી હતી. તેનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય અનાજ વિશે જાગૃતિ ફેલાવવાનો અને આંતરરાષ્ટ્રીય જાડાં અનાજ વર્ષ 2023 ની સફળ વૈશ્વિક ઉજવણી માટે અન્ય રાષ્ટ્રો સાથે જોડાવાનો છે. 
તેના ઘણા લાભ છે કારણ કે તે ગ્લુટેન મુક્ત અને બિન-એલર્જીક છે. બાજરી એનિમિયા, યકૃતની બીમારી અને અસ્થમાને મટાડે છે.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ