સમાચાર ઊડતી નજરે
​ભારત થોડાં વર્ષોમાં જ વિશ્વમાં ટેલિકોમ ટેક્નોલોજીનો સૌથી મોટો નિકાસકાર બનશે :​પ્રધાનમંત્રી            ​રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આ વર્ષના પદ્મ પુરસ્કારથી મહાનુભાવોને સન્માનિત કર્યા            ​વિશ્વ મહિલા મુક્કાબાજ ચેમ્પિયનશિપમાં નીતુ ઘંઘાસે 48 કિગ્રા રમતમાં ભારતનો પ્રથમ સુવર્ણચંદ્રક જીત્યો            ​આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ            ​ગુગલ સાથે ગુજરાત સરકારે મહત્વપૂર્ણ સ્ટ્રેટેજિક પાર્ટનરશીપના એમ.ઓ.યુ. કર્યા.           

Feb 03, 2023
11:16AM

ઉત્તરાખંડ સરકારે ચાર ધામ યાત્રા માટેની તૈયારીઓ શરૂ કરી છે.

--
ઉત્તરાખંડ સરકારે ચાર ધામ યાત્રા માટેની તૈયારીઓ શરૂ કરી છે. ગઢવાલના કમિશનર સુશિલકુમારના અધ્યક્ષપદે આગામી સાતમી ફેબ્રુઆરીએ ઋષિકેશમાં યોજાનારી બેઠકમાં ચાર ધામ યાત્રાના આયોજનને આખરી ઓપ અપાશે.
ઉલ્લેખનીય છે કે, ચાર ધામ યાત્રા આગામી 22મી એપ્રિલથી શરૂ થશે. અક્ષય તૃતિયાંના દિવસે ગંગોત્રી અને યમુનોત્રી તીર્થધામના દ્વાર ખૂલતાં ચાર ધામ યાત્રાનો આરંભ થશે. બદ્રીનાથ ધામના દ્વાર 27મી એપ્રિલે ખોલવામાં આવશે. જ્યારે કેદારનાથ ધામના દ્વાર ખોલવાનો નિર્ણય 18મી ફેબ્રુઆરીએ લેવાશે. 

લાઈવ ટ્વીટર ફીડ