સમાચાર ઊડતી નજરે
નવી દિલ્હીમાં આવતીકાલથી ચાર દિવસીય 27મી વૈશ્વિક રોકાણ પરિષદ યોજાશે            પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતનું લક્ષ્ય હાંસલ માટે યુવાનોના મંતવ્યો એકત્ર કરવાના અભિયાનની શરૂઆત કરશે            ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે જણાવ્યું છે કે માનવ અધિકારોના પ્રચાર અને સશક્તિકરણ માટે દેશમાં આંતરમાળખાનો વ્યાપક વિકાસ જરૂરી છે            વર્ષ 2070 સુધીમાં ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનમાંથી સંપૂર્ણ સ્વતંત્રતાના લક્ષ્યને હાંસલ કરવા માટે પરિવહન ક્ષેત્રનું ડીકાર્બોનાઇઝેશન જરૂરી છે: કેન્દ્રીય મંત્રી ભૂપેન્દર યાદવ            ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે ડરબનમાં પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમાશે           

Mar 22, 2023
6:21PM

આજે વિશ્વ જળ દિવસ..

જગત રાવલ
આજે વિશ્વ જળ દિવસ છે ત્યારે જામનગરની પર્યાવરણ પ્રેમી સંસ્થા નવા નગર નેચર ક્લબ દ્વારા શહેરના એમયુઝમેન્ટ પાર્ક પાસે કૂવા અને બોર રિચાર્જ પધ્ધતિનું પોસ્ટર નિદર્શન કરવામાં આવ્યું હતું. નવા નગર નેચર ક્લબના પ્રમુખ વિજયસિંહ જેઠવા દ્વારા શહેરીજનોને કૂવા, બોર કે વાડી ખેતર ફળિયામાં વરસાદી પાણી જમીનમાં કેમ ઉતારવું તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ વરસાદી પાણી સંગ્રહ અંગેની જુદી જુદી પધ્ધતિ નું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત જામનગરની એમ.પી.શાહ કોમર્સ કોલેજ ખાતે જળસંચય વિષય પર પરિસંવાદ યોજાયો હતો. વિદ્યાર્થીઓને જળસંગ્રહ અને પાણી જમીનમાં કેમ ઉતારવું તે પધ્ધતિ અંગે માહિતી આપવામાં આવી હતી.

મહેસાણા જિલ્લામાં પણ ફ્લોરાઈડ વાળું તેમજ ખારાશવાળું પાણી છે ત્યારે જળસંગ્રહ પર વિશેષ ભાર મુકવામાં આવે છે. મહેસાણા જિલ્લામાં સંગ્રહિત થતા 70 હજાર 524 કરોડ લીટરની સામે 74 હજાર 47 કરોડ લીટરનો વપરાશ છે. 2025 ના વર્ષમાં 38 ટકા પાણીનો વપરાશ વધશે. મહેસાણા જિલ્લામાં ભૂગર્ભજળમાંથી પાણીનો વધુ વપરાશ થાય છે. ખેતી, ઘરેલુ વપરાશ તેમજ ઉધોગોમાં પાણી ખૂબ વપરાશ થાય છે.

વર્ષ 1993 થી સંયુક્ત રાષ્ટ્ર સામાન્ય સભા દ્વારા 22 મી માર્ચના દિવસને વિશ્વ જળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેનાથી લોકોમાં પાણીનું મહત્વ, તેની જરૂરિયાત તેમજ પાણીની બચત અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટેનો પ્રયાસ છે.

લાઈવ ટ્વીટર ફીડ