સમાચાર ઊડતી નજરે
નવ વર્ષમાં સ્વચ્છ ભારત અભિયાન એક મોટું અભિયાન બની ગયું છે : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી            આજે અનંત ચતુર્દશીનો તહેવાર ગણેશ વિસર્જન સાથે ઉજવવામાં આવશે            ભારતીય સેના આજે 197મો ગનર્સ ડે ઉજવી રહી છે            મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રૂપિયા 76 કરોડના ખર્ચે નવીનીકરણ કરાયેલા જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લાનું લોકાર્પણ કર્યું            આયુષ્યમાન ભવ કાર્યક્રમ અંતર્ગત દીવ જીલ્લાને કુપોષણ મુક્ત બનાવવા દીવ કલેકટર દ્વારા એક ટાસ્ક ફોર્સ બનાવવામાં આવી           

Jun 08, 2023
8:26PM

આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને સુરત ખાતે થશે

આકાશવાણી
આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને સુરત ખાતે થશે.. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, આ વર્ષે  આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ છે ‘એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગ’..
 21મી જૂને સુરત ખાતે સવારે 6 વાગે યોજાનાર કાર્યક્રમમાં દોઢ લાખથી વધુ લોકો ભાગ લેશે. મુખ્યમંત્રી સવારે સાડા છ વાગ્યે રાજ્યના નાગરિકોને વર્ચ્યુઅલી સંબોધન કરશે. તો દેશભરમાં ઉજવાઈ રહેલા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સવારે પોણા સાત વાગ્યે વર્ચ્યુઅલી દેશવાસીઓને સંબોધશે. 
શ્રી સંઘવીએ વધુમાં જણાવ્યું કે, રાજ્યના ધાર્મિક, પ્રવાસન, ઐતિહાસિક તથા શૈક્ષણિક મહત્વ અને કુદરતી સૌંદર્ય ધરાવતા 75 આઇકોનિક સ્થળો જેવા કે, સાબરમતી રિવરફ્રન્ટ, સ્ટેચ્યૂ ઓફ યુનિટી, કચ્છનું સફેદ રણ તથા મોઢેરા સૂર્યમંદિર જેવા સ્થળોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. રાજ્યના 33 જિલ્લાઓના જે 75 સ્થળોની પસંદગી કરાઈ છે તેમાં 10 જેટલાં ઐતિહાસિક સ્થળો, 7 જેટલાં ધાર્મિક સ્થળો, 17 જેટલાં પ્રવાસન સ્થળો, 33 જેટલાં જિલ્લા અને મહાનગરપાલિકાના સ્થળો અને 8 તાલુકા મથકોના સ્થળનો સમાવેશ થાય છે. 

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ