સમાચાર ઊડતી નજરે
યાંત્રિક બુધ્ધિમત્તા જેવી આધુનિક ટેકનીકનો ઉપયોગ જીવનને બહેતર બનાવવા માટે કરી શકાય છે: રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ            તાજેતરના વર્ષોમાં ભારતનું અર્થતંત્ર અને સાથે સાથે દેશનું વૈશ્વિક સન્માન તેમજ વિશ્વસનીયતામાં અનેક ગણો વધારો થયો છે: ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ            સરકારે કહ્યું છે કે, સોમવારથી શરૂ થઈ રહેલાં સંસદના શિયાળુ અધિવેશનમાં તે કોઈપણ મુદ્દે ચર્ચા કરવા તૈયાર છે            પ્રધાનમંત્રીશ્રીના 'વોકલ ફોર લોકલ'ના મંત્રને કારણે દેશમાં ખાદીનું ટર્નઓવર 3 ગણું વધ્યું : કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ            રાજ્ય વાહન વ્યવહારમંત્રી હર્ષ સંઘવીએ આજે ગાંધીનગરના એસ.ટી ડેપો ખાતેથી “શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા” ઝુંબેશનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો           

Apr 28, 2021
9:22AM

ગુજરાતે જળજીવન મિશન અંતર્ગત આ વર્ષે દસ લાખ નવા જોડાણ ઉપલબ્ધ કરાવવાની યોજના બનાવી

ફાઇલ ફોટો
ગુજરાતે જળજીવન મિશન અંતર્ગત આ વર્ષે દસ લાખ નવા જોડાણ ઉપલબ્ધ કરાવવાની યોજના બનાવી છે. 
જળશક્તિ મંત્રાલયે જણાવ્યું છે કે, ગુજરાત સરકારે પેયજળ અને સ્વચ્છતા વિભાગના સચિવની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય સમિતિની બેઠકમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી 2020-22 માટે પોતાની વાર્ષિક યોજના દર્શાવી છે. 
મંત્રાલયે જણાવ્યું છ કે, ગુજરાતે 2022-23 સુધીમાં ઘરે ઘરે નળ જોડાણનો લક્ષ્યાંક પ્રાપ્ત કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. 
મંત્રાલયે જણાવ્યું કે, અત્યાર સુધી ગુજરાતના પાંચ જિલ્લાઓ અને આઠ હજારથી વધુ ગામોમાં નળ દ્વારા પાણી પહોંચાડવામાં આવ્યું છે. 
અત્રે ઉલ્લેખનીય છે કે, જળજીવન મિશન એ કેન્દ્ર સરકારનો મહત્વકાંક્ષી કાર્યક્રમ છે. જેનો ઉદ્દેશ 2024 સુધી પ્રત્યેક ગ્રામીણ પરિવારને નળથી જળ ઉપલબ્ધ કરાવવાનો છે. 

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ