સમાચાર ઊડતી નજરે
રેલ્વે મંત્રાલયે ઓરિસ્સા ટ્રેન અકસ્માતની સીબીઆઇ દ્વારા તપાસ કરાવવાની ભલામણ કરી            રેલ્વેતંત્રએ ઓરિસ્સા ટ્રેન અકસ્માતમાં મૃતકો અને પ્રવાસીઓના કુટુંબીજનોની સગવડ માટે હેલ્પલાઇન નંબર – 139ની વિશેષ વ્યવસ્થા કરી            રાજ્યમાં હજુ આગામી બે દિવસ વરસાદી ઝાપટાં પડવાની શક્યતા            આવતીકાલે વિશ્વ પર્યાવરણ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી અંબાજી ખાતે કરાશે            મુખ્યમંત્રીએ ઉત્તર ગુજરાતના બે અતિ સૂકા તાલુકાઓને પાણી પહોંચાડવાનો નિર્ણય કર્યો           

Mar 15, 2021
11:18AM

દેશમાં ત્રણ કરોડ 80 લાખ ગ્રામીણ પરિવારોને નળ દ્વારા જળ આપવાની કામગીરી પૂર્ણ કરાઈ

Google
કેન્દ્ર સરકારના જળજીવન મિશન કાર્યક્રમ હેઠળ અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં ત્રણ કરોડ 80 લાખ ગ્રામીણ પરિવારોને નળ દ્વારા જળ આપવાની કામગીરી પૂર્ણ કરાઈ છે.આગામી 2024 સુધીમાં દેશના બધા જ ગ્રામીણ વિસ્તારોમાં, બધા જ ઘરે નળ દ્વારા જળઆપવા સરકાર પ્રતિબદ્ધ છે. કેન્દ્રિય જળશક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે રાજ્યોતથા કેન્દ્ર શાસિત પ્રદેશોની બેઠકમાં આ મુજબ જણાવ્યું હતું. વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી યોજાયેલી બેઠકમાં શ્રી શેખાવતે કહ્યું કે,ગ્રામીણ વિસ્તારના સાત કરોડથી વધુ પરિવારોને ઘરમાં નળ દ્વારા ગુણવત્તાયુક્ત પાણીપહોંચાડવામાં આવી રહ્યું છે. આ વર્ષે પાણીના વધુ ત્રણ કરોડ જોડાણો આપવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરાયો છે. આપ્રસંગે શ્રી શેખાવતે જળજીવન મિશન – પાણી ગુણવત્તા વ્યવસ્થાપન માહિતી પદ્ધતિનો શુભારંભ કરાવ્યો હતો.તેમણે કહ્યું કે, ગુણવત્તાયુક્ત પાણી પુરવઠા અંગેની આ માહિતી પદ્ધતિના લીધેપાણીની ગુણવત્તા સુનિશ્ચિત થશે.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ