સમાચાર ઊડતી નજરે
અમિત શાહે જણાવ્યું છે કે, વર્ષ 2022-23માં ખાદીનો કુલ કારોબાર એક લાખ 35 હજાર કરોડને પાર કરી ગયો છે            કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઇકાલે ગાંધીનગર લોકસભા મતવિસ્તારની 8 નવી સબ પોસ્ટ ઓફિસનું વર્ચ્યુઅલ માધ્યમથી લોકાર્પણ કર્યુ            મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને તેલંગણામાં તાજેતરમાં યોજાયેલ વિધાનસભા ચૂંટણી માટે આજે મતગણતરી            વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ નવી દિલ્હીમાં દિવ્યાંગ સશક્તિકરણ માટે રાષ્ટ્રીય પુરસ્કાર, 2023 પ્રદાન કરશે.            ભારત અને ઓસ્ટ્રેલિયા પાંચ ક્રિકેટ મેચની શ્રેણીની છેલ્લી T20 મેચ આજે બેંગલુરુ ખાતે સાંજે 7 વાગ્યે રમાશે.           

Aug 27, 2023
9:46AM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં બપોરે બાર વાગ્યે B-20 ઈન્ડિયા શિખર સમ્મેલનને સંબોધિત કરશે

--
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં બપોરે બાર વાગ્યે  ઈન્ડિયા શિખર સમ્મેલનને સંબોધિત કરશે. પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે આ પ્લેટફોર્મ વેપાર  જગતમાં કામ કરતા સહભાગીઓને વ્યાપક રીતે એક મંચ ઉપર લાવ્યા છે. G-20માં સૌથી અગ્રણી જૂથ બિઝનેસ-20નો ઉદ્દેશ્ય આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવાનો છે. 
ત્રણ દિવસીય શિખર સમ્મેલનનો ગયા શુક્રવારે આરંભ થયો હતો. સમગ્ર વિશ્વના નીતિ  નિર્માતાઓ, વેપાર ક્ષ્રેત્રના અગ્રણીઓ અને નિષ્ણાતો સમ્મેલનમાં B-20 ઈન્ડિયા સત્તાવાર રિલીઝ પર ચર્ચા કરશે. જેમાં G-20 માટે 54 ભલામણો અને 172 પોલિસી એક્શન પ્લાનનો સમાવેશ થાય છે. આ શિખર સમ્મેલનમાં લગભગ 55 દેશોના એક હજાર પાંચસો પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. 2010 માં સ્થપાયેલ, બિઝનેસ-20 માં વિવિધ કંપનીઓ અને વ્યવસાયિક સંસ્થાઓનો સમાવેશ થાય છે. બિઝનેસ-20એ વૈશ્વિક વ્યાપાર સાથે સંવાદ માટે G-20 નું સત્તાવાર મંચ છે. તે આર્થિક વૃદ્ધિ અને વિકાસને મજબૂત કરવા માટે નક્કર અને શક્ય નીતિ સૂચનો કરે છે. આ શિખર સમ્મેલન B-20 ઈન્ડિયાની વિષયવસ્તુ છે – ઉત્તરદાયી, સક્રિય, નવાચાર, સતત અને વેપાર સમાનતા ઉપર આધારિત છે.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ